મોરબી સાર્થક વિધામંદિરનો બાળ પ્રતિભા શોધ-કલા મહાકુંભમાં રાજ્યમાં દબદબો
મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન
SHARE
મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન
કોઈપણ દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય અને તેની મહામૂલી જિંદગીને બચાવવા માટે રક્તની જરૂર હોય છે ત્યારે જો રક્તની બોટલ મળી જાય તો જિંદગીને બચાવી શકાય છે જેથી કરીને ઘણા રક્તદાતાઓ દ્વારા સમયાંતરે આઠવ તો લોકોને જરૂર હોય ત્યારે રકતદાન કરવામાં આવે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાત હતી જેથી કરીને મોરબીમાં રહેતા શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળાના શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણીને યુવા આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. અને અત્યાર સુધીમાં જરૂરિયાતના સમયે તેઓએ ૨૭ વખત રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગીને બચાવવા માટેનું કામ કર્યું છે