ગુજરાત સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં, કોઈ માંગણી ન સંતોષી: પ્રમુખ
મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ
SHARE
મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ
મોરબીના ઘુટું ગામે રહેતા શીલાબેન અને પંકજભાઈ પંડ્યાની બે દીકરીઓ કોકીલાબેન તથા હિતેશ્વરીબેનના લગ્ન લેવાયા હતા અને આ બને દીકરીઓના મતા અને પિતાને એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં એક નવો રાહ ચીંધવો છે અને તેમણે દીકરીના લગ્ન પ્રસંગે રાખેલા જમણવારમાં જે લોકો આવ્યા હતા અને તેને ચાંદલા પેટે જે રકમ આપી હતી તે તમામ રકમ તેઓએ મોરબીમાં આવેલા હરિહર અન્નક્ષેત્રને આપી દીધેલ છે અને આ પરિવાર દ્વારા આપવામાં આવેલ રકમ ૫૧ હજાર હોવાનું પંકજભાઈ પંડ્યા તથા તેમના ભાઈ વિનોદરાય પંડ્યાએ જણાવ્યુ છે અને આ તકે હરિહરન અન્નક્ષેત્રના સંચાલક એવા તપોમૂર્તિ સેવામૂર્તિ તપોધન પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જમનાદાસ બાપાને આ ચાંદલાની રકમ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પંડ્યા પરિવાર દ્વારા જે પહેલા કરવામાં આવી છે તે અન્ય સમાજ અને પરિવાર માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી