હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ


SHARE







મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ

મોરબીના ઘુટું ગામે રહેતા શીલાબેન અને પંકજભાઈ પંડ્યાની બે દીકરીઓ કોકીલાબેન તથા હિતેશ્વરીબેનના લગ્ન લેવાયા હતા અને આ બને દીકરીઓના મતા અને પિતાને એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં એક નવો રાહ ચીંધવો છે અને તેમણે દીકરીના લગ્ન પ્રસંગે રાખેલા જમણવારમાં જે લોકો આવ્યા હતા અને તેને ચાંદલા પેટે જે રકમ આપી હતી તે તમામ રકમ તેઓએ મોરબીમાં આવેલા હરિહર અન્નક્ષેત્રને આપી દીધેલ છે અને આ પરિવાર દ્વારા આપવામાં આવેલ રકમ ૫૧ હજાર હોવાનું પંકજભાઈ પંડ્યા તથા તેમના ભાઈ વિનોદરાય પંડ્યાએ જણાવ્યુ છે અને આ તકે હરિહરન અન્નક્ષેત્રના સંચાલક એવા તપોમૂર્તિ  સેવામૂર્તિ તપોધન પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જમનાદાસ બાપાને આ ચાંદલાની રકમ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પંડ્યા પરિવાર દ્વારા જે પહેલા કરવામાં આવી છે તે અન્ય સમાજ અને પરિવાર માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News