હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

ગુજરાત સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં, કોઈ માંગણી ન સંતોષી: પ્રમુખ


SHARE







ગુજરાત સરકારના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં, કોઈ માંગણી ન સંતોષી: પ્રમુખ

ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો ઘણી આસા અને અપેક્ષા રાખીને બેઠા હતા પરંતુ બજેટની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે ફાયદો થાય તેવી કોઈપણ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી જેથી કરીને એકંદરે લોકોની સુખાકારીમાં વધારો થાય તેવું આ બજેટ છે પરંતુ મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈ ફાયદો નહીં થાય તેવું હાલમાં મોરબીના ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવે છે અને ગુજરાત સરકારનું બજેટ આવે ત્યારે પહેલા દર વખતેની જેમ આ વખતે પણ અહીંના ઉદ્યોગકારો વતી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગ ને શુદ્ધ પીવાનું પાણી મળે, સારા રોડ રસ્તાની સુવિધા મળે, અધ્યતન ફાયર સ્ટેશન મળે તે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી જોકે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યુ છે તેમાં મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નથી

પરંતુ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા અને વિનોદભાઇ ભાડજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને નવા મકાન બનશે તેમાં સીધી રીતે મોરબીના સીરામીક ઉદ્યોગને ફાયદો થશે તેવી લાગણી વ્યક્ત કરી છે જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાની માંગણી કરવામાં આવતી હોવા છતાં તેને સરકાર દ્વારા આ બજેટમાં રાબેતા મુજબ ધ્યાને લેવામાં આવેલ નથી

મોરબીના સિરામિક ઝોનમાં સારા રસ્તા અને પ્રાથમિક સુવિધા માટેની ઉધ્યોગકારોની માંગણીને સરકાર દ્વારા કેમ ધ્યાને લેવામાં આવતી નથી તે પણ એક પ્રશ્ન છે આટલું જ નહીં વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે સીરામીક પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે, એક વર્ષ પછી પણ તેનું ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ થયું નથી જેથી કરીને આ સીરામીક પાર્ક ક્યાં બનશે કેવી રીતે બનશે તે સહિતના પ્રશ્નો હજુ પણ ઉભા છે ત્યાં આ બજેટમાં પણ સિરામિક બનાવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છ






Latest News