મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

હળવદ નજીક હોટલના રૂમમાં અકળ કારણોસર ફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













હળવદ નજીક હોટલના રૂમમાં અકળ કારણોસર ફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલો હોટલના રૂમ નં-૧૦૯ ની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યારબાદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વીગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં પાટડીધામ ખાતે રહેતા ઈશ્વરભાઈ છગનભાઈ વાણીયા (૬૫) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી કે હળવદ તાલુકાના કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટલના રૂમ નં- ૧૦૯ માં તેના દીકરા ધવલભાઇ ઈશ્વરભાઈ વાણીયા (૨૨) એ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસની ટીમ હોટલે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડીને આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હળવદ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી છે

મજુર યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા એપેક્ષ સિરામિકમાં કામ દરમિયાન પહેલા માળેથી નીચે પડી જતા સંદીપ કૈલાસભાઈ ઠાકોર નામના યુવાને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News