મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (૭૦) એ પોતાના ઘરની અંદર બપોરના સમયે કોઈ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા માટે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરષોત્તમભાઈના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને તેની દીકરી પણ મૃત્યુ પામી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના કુટુંબીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગોબીયાભાઈ સનાતનસિંહ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સબજેલ ચોકની સામે આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતો રાહુલ હીરાભાઈ ગજીયા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાની દુકાને જેલ ચોક ખાતેથી પોતાના ઘર તરફ બોરીચાવાસ વિસ્તારમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય વાહનની સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News