મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (૭૦) એ પોતાના ઘરની અંદર બપોરના સમયે કોઈ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા માટે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરષોત્તમભાઈના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને તેની દીકરી પણ મૃત્યુ પામી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના કુટુંબીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગોબીયાભાઈ સનાતનસિંહ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સબજેલ ચોકની સામે આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતો રાહુલ હીરાભાઈ ગજીયા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાની દુકાને જેલ ચોક ખાતેથી પોતાના ઘર તરફ બોરીચાવાસ વિસ્તારમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય વાહનની સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News