હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (૭૦) એ પોતાના ઘરની અંદર બપોરના સમયે કોઈ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા માટે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરષોત્તમભાઈના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને તેની દીકરી પણ મૃત્યુ પામી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના કુટુંબીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગોબીયાભાઈ સનાતનસિંહ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સબજેલ ચોકની સામે આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતો રાહુલ હીરાભાઈ ગજીયા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાની દુકાને જેલ ચોક ખાતેથી પોતાના ઘર તરફ બોરીચાવાસ વિસ્તારમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય વાહનની સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News