હાઈ એલર્ટ: શનિવાર3 વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી રોકડ રૂપિયા ૫૧૪૦૦ નો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજભાઇ લોખીલને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે પોલીસે મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે  સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રોકડ રૂપિયા ૫૧૪૦૦ ના મુદામાલને કબ્જે કરેલ છે અને હાલમાં પોલીસે જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી જાતે મેમણ, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી જાતે મતવા, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી જાતે મતવા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી જાતે મતવા, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી જાતે કોળી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી જાતે મતવા, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી જાતે મતવા, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી જાતે મતવા અને એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા જાતે સંધી રહે. બધા કબીર ટેકરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News