માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયારી નજીક બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE













મોરબીના પાવળીયારી નજીક બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી માતાના મંદિર પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે કૂતરું ઉતર્યું હતું જેથી બાઈક તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા બુટાભાઈ નોંઘાભાઈ ગમારા જાતે ભરવાડ (૫૩) પોતાનું બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું કર્યું હતું જેથી કરીને બાઈક તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં આધેડને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્કમાં સ્કાય હિલ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ મલાભાઇ ભટાસણા (૫૦) ને સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતના બનાવવામાં ઇજા હોવાથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા પારુલભાઈ ભગવાનભાઈ કણસાગરા (૧૭) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવ અંગે મોરબી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળની તપાસ થઈ રહેલા મણીભાઈ ગામેતી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પારુલભાઈ કણસાગરાના ઘર પાસે બનાવ બન્યો હતો જેમાં તેના ઇજા થવાથી સારવારમાં હોસ્પિટલે લઈને આવ્યા છે






Latest News