મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો


SHARE







મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજનો ૨૩ મો પાટોત્સવ મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસ સ્વામીની હાજરીમાં ઉજવાયો હતો જેમાં રાત્રીકથા, જપયજ્ઞ, કથાવાર્તા મંગળા આરતી, અભિષેક દર્શન, શણગાર, ૫૬ ભોગ અન્નકૂટ દર્શન, સંત આશીર્વાદ, મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદ્રોજા મનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહમાં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપરના વતની અને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર હરેશભાઇના હસ્તે ઘનશ્યામ મહારાજને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરેલ છે અને આ તકે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામીએ કર્યું હતું.






Latest News