મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના સીએનજી પંપ ધારકો રાજ્યવ્યાપી અચોક્કસ મુદાતની હડતાળમાં જોડાશે: પ્રમુખ


SHARE





મોરબી જીલ્લાના સીએજી પંપ ધારકો રાજ્યવ્યાપી અચોક્કસ મુદાતની હડતાળમાં જોડાશે: પ્રમુખ

ગુજરાતનાં તમામ જીલ્લામાં સીએનજીના પંપ આવેલ છે જો કે, મોરબી સહિત રાજ્યભરના સીએનજી પંપ ધારકોના પડતસર પ્રશ્નોને ઉકેલવામાં આવતા જ નથી જેથી કરીને પંપ ધારકોની અમદાવાદ ખાતે એક મિટિંગ મળી હતી જેમાં તે લોકોના પડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી કરીને ત્રીજી માર્ચથી સીએનજી પંપ ધારકો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના સીએનજી પંપ ધારકો પણ જોડાશે તેવું મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખે જણાવ્યુ છે

મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ જણાવ્યું કે, ગુજરાત ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની મંગળવારે અમદાવાદ ખાતે મિટિંગ મળી હતી જેમાં આગામી ત્રીજી માર્ચથી સીએનજી પંપ ઉપર ગેસનું વેચાણ બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના તમામ સીએનજી પંપ ધારકો પણ જોડાશે અને ગેસનું વેચાણ બંધ રાખવામા આવશે અત્રે ઉલેખનીય છે કે, સીએનજી પંપ ધારકોના પડતર પ્રશ્નોને છેલ્લા ઘણા સમયથી ઉકેલવામાં આવતા નથી જેથી કરીને સીએનજી પંપ ધારકોએ હડતાળનું શાસ્ત્ર હવે ઉગમ્યું છે અને જો આ હડતાળ લાંબા સમય સુધી ચાલશે તો વાહન ચળકોનું મુશ્કેલીમાં વધારો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News