મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE















મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે અને નકુલભાઈના અકાળે અવસાનથી વઘાડિયા પરિવાર ઉપર જે દુખની ઘડી આવી પડી છે ત્યારે મનથી મજબૂત પરિવાર દ્વારા જરૂરિયાતના સમયે બીજા લોકોને તાત્કાલિક રક્ત મળી રહે અને રક્તના લીધે કોઈ દર્દીનુ અવસાન ન થાય તેવી ભાવના સાથે નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ આગામી શુક્રવાર અને તા ૩ માર્ચના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના નકુલભાઈ મિસ્ત્રી ગત તા ૨૭ ના રોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર પડી જતાં તેને માથામાં ઇજા થવાથી તેનું અવસાન થયું હતું જેથી આગામી તા ૩ માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. અને બેસણાની સાથે સાથે તેના પરિવારજન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકુલભાઈના મિત્રો, પરિવારજનો સહિતના લોકો દ્વારા બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે રક્તદાન કરવામાં આવશે






Latest News