ટંકારાનાં મીતાણા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે અને નકુલભાઈના અકાળે અવસાનથી વઘાડિયા પરિવાર ઉપર જે દુખની ઘડી આવી પડી છે ત્યારે મનથી મજબૂત પરિવાર દ્વારા જરૂરિયાતના સમયે બીજા લોકોને તાત્કાલિક રક્ત મળી રહે અને રક્તના લીધે કોઈ દર્દીનુ અવસાન ન થાય તેવી ભાવના સાથે નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ આગામી શુક્રવાર અને તા ૩ માર્ચના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના નકુલભાઈ મિસ્ત્રી ગત તા ૨૭ ના રોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર પડી જતાં તેને માથામાં ઇજા થવાથી તેનું અવસાન થયું હતું જેથી આગામી તા ૩ માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. અને બેસણાની સાથે સાથે તેના પરિવારજન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકુલભાઈના મિત્રો, પરિવારજનો સહિતના લોકો દ્વારા બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે રક્તદાન કરવામાં આવશે