ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના વ્યક્તિએ લીધેલ ઇનોવા કારમાં કાટ લાગી ગયો હતો જેથી કંપની પાસેથી કલર કામ કરવાનો ખર્ચ માંગ્યો હતો જો કે, કંપનીએ આપ્યો ન હતો જેથી ગ્રાહક તક્કર કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહકે કરેલા ખર્ચની રકમ વ્યાજ સાથે આપવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહીશ રમેશભાઇ નાનજીભાઇ પટેલે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. પાસેથી ઇનોવા કાર ખરીદી કરેલ અને તે કારમાં ત્રણ મહીનામાં કાટ ખાવા લાગેલ હતો જેથી ગ્રાહકે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ત્રણે બ્રાંચનો સંપર્ક કરેલ પરંતુ ગ્રાહકને કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ અને ૧,૩૪,૭૩૮ અને કલર ખર્ચ થયેલ તેવી માંગણી કરેલ હતી પરંતુ જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. તરફ થી એવી દલીલ કરીકે નબળી ગુણવતા વાળા કેમીકલથી સાફ કરેલ તેથી કલરમાં કાટ લાગે છે જે પાર્ટસમાં કાટ લાગેલ તે કંપનીની ખામી નથી માટે રકમ મળે નહી જો કે, કોર્ટે જણાવેલ કે, ત્રણ મહીનામાં ગાડીના પાર્ટસને તથા કલરને કાટ લાગે તે કંપનીની ખામી ગણાય છે માટે ગ્રાહક રમેશભાઇએ જે ખર્ચ કરેલ છે ૧,૩૪,૭૩૮ તે રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ગ્રાહકને માનસીક ત્રાસનાં પાંચ હજાર અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે






Latest News