હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના વ્યક્તિએ લીધેલ ઇનોવા કારમાં કાટ લાગી ગયો હતો જેથી કંપની પાસેથી કલર કામ કરવાનો ખર્ચ માંગ્યો હતો જો કે, કંપનીએ આપ્યો ન હતો જેથી ગ્રાહક તક્કર કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહકે કરેલા ખર્ચની રકમ વ્યાજ સાથે આપવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહીશ રમેશભાઇ નાનજીભાઇ પટેલે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. પાસેથી ઇનોવા કાર ખરીદી કરેલ અને તે કારમાં ત્રણ મહીનામાં કાટ ખાવા લાગેલ હતો જેથી ગ્રાહકે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ત્રણે બ્રાંચનો સંપર્ક કરેલ પરંતુ ગ્રાહકને કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ અને ૧,૩૪,૭૩૮ અને કલર ખર્ચ થયેલ તેવી માંગણી કરેલ હતી પરંતુ જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. તરફ થી એવી દલીલ કરીકે નબળી ગુણવતા વાળા કેમીકલથી સાફ કરેલ તેથી કલરમાં કાટ લાગે છે જે પાર્ટસમાં કાટ લાગેલ તે કંપનીની ખામી નથી માટે રકમ મળે નહી જો કે, કોર્ટે જણાવેલ કે, ત્રણ મહીનામાં ગાડીના પાર્ટસને તથા કલરને કાટ લાગે તે કંપનીની ખામી ગણાય છે માટે ગ્રાહક રમેશભાઇએ જે ખર્ચ કરેલ છે ૧,૩૪,૭૩૮ તે રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ગ્રાહકને માનસીક ત્રાસનાં પાંચ હજાર અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે






Latest News