માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના વ્યક્તિએ લીધેલ ઇનોવા કારમાં કાટ લાગી ગયો હતો જેથી કંપની પાસેથી કલર કામ કરવાનો ખર્ચ માંગ્યો હતો જો કે, કંપનીએ આપ્યો ન હતો જેથી ગ્રાહક તક્કર કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહકે કરેલા ખર્ચની રકમ વ્યાજ સાથે આપવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહીશ રમેશભાઇ નાનજીભાઇ પટેલે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. પાસેથી ઇનોવા કાર ખરીદી કરેલ અને તે કારમાં ત્રણ મહીનામાં કાટ ખાવા લાગેલ હતો જેથી ગ્રાહકે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ત્રણે બ્રાંચનો સંપર્ક કરેલ પરંતુ ગ્રાહકને કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ અને ૧,૩૪,૭૩૮ અને કલર ખર્ચ થયેલ તેવી માંગણી કરેલ હતી પરંતુ જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. તરફ થી એવી દલીલ કરીકે નબળી ગુણવતા વાળા કેમીકલથી સાફ કરેલ તેથી કલરમાં કાટ લાગે છે જે પાર્ટસમાં કાટ લાગેલ તે કંપનીની ખામી નથી માટે રકમ મળે નહી જો કે, કોર્ટે જણાવેલ કે, ત્રણ મહીનામાં ગાડીના પાર્ટસને તથા કલરને કાટ લાગે તે કંપનીની ખામી ગણાય છે માટે ગ્રાહક રમેશભાઇએ જે ખર્ચ કરેલ છે ૧,૩૪,૭૩૮ તે રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ગ્રાહકને માનસીક ત્રાસનાં પાંચ હજાર અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે






Latest News