મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ
મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં સાયન્ટિફિક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડીયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો
ઘડિયાળ ઉદ્યોગનો મોરબીમાં પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના સ્વ. નકુલભાઈ જયેશભાઈ વઘાડિયા જાતે મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને સ્વ. નકુલભાઈના બેસણા સાથે શુક્રવારે મોરબીના આલાપ રોડ સાયન્ટીફિકની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સાંજે ૪ થી ૬ બે કલાકમાં વઘાડિયા પરિવારના લોકો તેમજ સ્વ. નકુલભાઈના મિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને ૧૭૭ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી જે રકતની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ બ્લડ બેન્ક ખાતે આપવામાં આવી છે તેવું વઘાડિયા પરિવાર પાસેથી જાણવા મળેલ છે









