મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો
SHARE
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો
એવુ કહેવાય છે કે બાળક જન્મે ત્યારે કોરી પાટી હોય છે ત્યાર બાદ તેના માતા પિતા અને પરિવારજનો ઉપરાંત તેના શિક્ષકો દ્વારા સંસ્કાર, શિક્ષણ અને સમજ રૂપી રંગો ભરીને તેને એક ઉમદા નાગરીક બનાવવામાં આવે છે આવુ જ ભગીરથ કાર્ય કરતા અને શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો તાજેતરમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વાષિકોત્સવ યોજાયો હતો જેમા પ્લે હાઉસના બાળકો દ્વારા વેશભૂષા, ડાન્સ વિગેરે કૃતિઓ રજુ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકનો ઉત્સાહ વધારવા માટે મોરબી રાજપુત સમાજના પુર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, નિરૂભા ઝાલા, પ્રહલાદસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને ઉપરોક્ત તસ્વીરમાં કૃતી રજુ કરતા બાળકો નજરે પડી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લે હાઉસના સંચલક જયશ્રીબા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી