હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર


SHARE







ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દુકાનો બનાવી લેવામાં આવી હતી જેથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેના આધારે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને દુકાન ખડકી દેનારા ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની જમીન અરજી મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા તેમજ દેવીપ્રસાદ કે. જોષી મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા






Latest News