ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર
SHARE
ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર
ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દુકાનો બનાવી લેવામાં આવી હતી જેથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેના આધારે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને દુકાન ખડકી દેનારા ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની જમીન અરજી મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા તેમજ દેવીપ્રસાદ કે. જોષી મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા









