મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ 


SHARE













મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ 

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા કે, પિએમએસબીવાયની જેમ વીમા કવરેજ મળશે. અકસ્માતથી મૃત્યુ અથવા સ્થાયી રૂપથી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયાની સહાય મળશે. અલગ પ્રકારના સામાજિક સુરક્ષાનાં લાભોનું વિતરણ ઇ-શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે. મહામારીનાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં  સરળતા રહેશે. તેમજ આ ઇ-શ્રમ કાર્ડ સમગ્ર દેશમાં માન્ય રહેશે.  

આ ઇ-શ્રમ કાર્ડ માટે ચોક્કસ શ્રમિકો જેવા કે, બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરી શ્રમયોગી, ડોમેસ્ટિક વર્કસ, ખેત શ્રમિક, સીમાંત ખેડુત, ફેરિયાઓ, નાના દુકાનદારો, દૂધવારા, ગ્રામીણ કારીગરો, જેવા કે દરજી, મિસ્ત્રી, કુંભારી કામ, વાણંદ કામ, મોચી કામ, લુહારી કામ, ગ્રામપંચાયતના પટ્ટાવાળા, પાણીવારા વગેરેને સરકાર દ્વારા ઇ-શ્રમકાર્ડનો લાભ મળવા પાત્ર છે. આ યોજના માટે ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતા શ્રમિકોએ જરૂરી ડોક્યુમેન્ટમાં પોતાનું અને વારસદારનું આધારકાર્ડ, બેંક પાસબુક, મોબાઇલ વગેરે સાથે લઇ ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેન્દ્ર ખાતે રૂબરૂ લઇ જઇ નોંધણી કરાવી શકશે. હાલ જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો સત્વરે ઇ-શ્રમ કાર્ડ કઢાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે






Latest News