હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ

હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે.જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી  મનાવાય છે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આ પાવન પર્વ પર જેલમાં રહેલા અંતેવાસીઓ તેઓના પરિવારથી દુર હોય જેથી માનસિક તણાવ ન ઉદભવે તેમજ ભાઇચારાની ભાવના રહે તે હેતુસર  મોરબી સબ જેલમાં ધુળેટીના તહેવારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદિવાનો દ્રારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી






Latest News