ગુજરાત પોલીસનું ગૌરવ: મોરબીની મહિલા કોન્સટેબલ ભૂમિકા એવરેસ્ટ સર કરવા સજ્જ
મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ
SHARE
મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ
હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબ, ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે., જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આ પાવન પર્વ પર જેલમાં રહેલા અંતેવાસીઓ તેઓના પરિવારથી દુર હોય જેથી માનસિક તણાવ ન ઉદભવે તેમજ ભાઇચારાની ભાવના રહે તે હેતુસર મોરબી સબ જેલમાં “ધુળેટી”ના તહેવારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદિવાનો દ્રારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી