મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ


SHARE













મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી માટે આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય બાબતે દરેક લોકોને સજાગ થવાની જરૂર છે આ આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કથાનો લાભ લીધો હતો અને આયોજકના કહેવા મુજબ ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામોમાંથી પણ આયુર્વેદ કથામાં લોકો આવ્યા હતા ખાસ કરીને વર્તમાન સમયમાં આહાર જ ખોટો હોય ત્યારે દવાની કોઈ અસર થતી નથી, માટે પહેલા આહાર બરાબર કરવામાં આવે તો ભવિષ્યમાં દવાની કોઈ જરૂર નથી. તેવું પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો આ આયુર્વેદ કથામાં આવ્યા હતા






Latest News