હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ


SHARE







મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી માટે આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય બાબતે દરેક લોકોને સજાગ થવાની જરૂર છે આ આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કથાનો લાભ લીધો હતો અને આયોજકના કહેવા મુજબ ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામોમાંથી પણ આયુર્વેદ કથામાં લોકો આવ્યા હતા ખાસ કરીને વર્તમાન સમયમાં આહાર જ ખોટો હોય ત્યારે દવાની કોઈ અસર થતી નથી, માટે પહેલા આહાર બરાબર કરવામાં આવે તો ભવિષ્યમાં દવાની કોઈ જરૂર નથી. તેવું પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો આ આયુર્વેદ કથામાં આવ્યા હતા






Latest News