મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ મી માર્ચે વીર માંગડાવાળો-પદ્માવતીનું મહાનાટક રજૂ કરશે


SHARE





મોરબીમાં ૨૩ મી માર્ચે વીર માંગડાવાળો-પદ્માવતીનું મહાનાટક રજૂ કરશે

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી દેશની મહાન ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને વિરાંજલી આપવા માટે ૨૩ મી માર્ચના રોજ 'એક શામ અમર જવાનો કે નામ' ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

ત્યારે આ વર્ષે સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા માટે પોતાની જીવની આહુતિ આપનાર વીર માંગડાવાળો અને પદ્માવતીનું મહાનાટક મોરબીના આંગણે પ્રથમવાર રજૂ કરવામાં આવનાર છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાના લોકોને આ નાટક જોવા આવવા માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતની ટિમ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ મહાનાટક એટલું સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે જેને જોવું એ એક લાહવો છે ત્યારે મોરબીવાસી સહિત સર્વે દેશભક્તોને આપવા માટે આયોજકોએ આહવાન કર્યું છે

નવરંગ નેચરલ કલબ
રાજકોટના નવરંગ નેચરલ કલબ દ્વારા તા.૧૨ ને રવિવારે સવારે ૮ થી ૧૨ શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે મોરબી ખાતે રાહત દરે પ્રાકૃતિક વસ્તુઓ રાહત ભાવે મળશે.જેમા ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા, સ્ટ્રોબેરીના રોપા તેમજ દરેક જાતના ઓસડીયા (હાથે ખાંડેલા), ચુર્ણ પાવડર, સિંધા નમક, કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ફુલ છોડના કુંડા,કાળા સફેદ તલનુ તેલ, શુધ્ધ સીંગ તેલ, મસાલા ખાખરા, પાપડ, શુધ્ધ ચોખ્ખુ મધ મળશે .તેમ નવરંગ નેચરલ કલબ રાજકોટ પ્રમુખ વી.ડી. બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે




Latest News