મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આજથી ગણેશોત્સવ પ્રારંભ: જાહેર પંડાલો અને ઘેર ઘેર ગણેશ સ્થાપન


SHARE













ગઢની રાંગ ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ ખાતે ગણેશ સ્થાપન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજથી ગણેશોત્સવનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે જાહેર પંડાલો ઉપરાંત ઘેર ઘેર પણ શહેરીજનો દ્વારા ભાવપૂર્વક ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી અનેક ધાર્મિક તહેવારો ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની છૂટ છાટ આપવામાં આવતાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર જાહેર પંડાલો અને ઘેર ઘેર પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ચાવડી શેરી ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરેક ધાર્મિક તહેવારોની ધર્મમય ઉજવણી કરવામાં આવે છે આજરોજ આ વિસ્તારનાં રહીશ હરૂભાઈ લચ્છુભાઈ કટારિયા (સિંધી) નાં ઘેરથી પ્રથમ ગણેશ પ્રતિમાનું પૂજન વિધિ કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અહીં દરરોજ આરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, આ વિસ્તારનાં લતા વાસીઓમાં ગણેશોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




Latest News