મોરબીના ફાર્મસી-કેમીસ્ટની દુકાનો ખાતે ૨૦ માર્ચ સુધીમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું
મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ
SHARE
મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ
મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી તા.૧૨ ને રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવશે.અહીંના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, હાઉસિંગ બોર્ડની સામે,.શનાળા રોડ, મોરબી ખાતે તા.૧૨ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી વેચાણ થશે.જેમાબાળકો માટે કબજીયાત માં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રી માં આપવામા આવશે તેમજ રાહતદરે ફૂલછોડનું વિતરણ થશે.
તે ઉપરાંત હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવેલ છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લે નિરોગી રહેવા પ્રકૃતિ તરફ વળે અને દૈનીક જીવનમા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ તેમજ વસ્તુ લેવા જાઇ ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઇને જઇએ.









