મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ
મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા
SHARE
મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા
મોરબીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરે એ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટા પ્રમાણમાં વાલીઓ પણ હાજર રહ્યાં હતાં. શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી હતી.વિદ્યાર્થીઓએ ભગવાન, સર્વે સંતો અને વાલીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.પૂજા સંપન્ન થયા બાદ મોરબી ગુરુકુલના સંચાલક પૂ.નિર્ગુણજીવનદાસજી સ્વામી તેમજ પૂ.નીલકંઠદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી આશીર્વાદ પાઠવ્યા હતા.