મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: દારૂની ૧૪ બોટલ કબજે, ત્રણ શખ્સની ધરપકડ
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું
SHARE
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું
મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગરમીના દિવસો આવી રહ્યા હોય તે નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંના ગ્રીનચોક વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પરશુરામ ગૃપે ૨૫૦૦ જેટલા ચકલીના માળા તેમજ ૯૦૦ જેટલા પાણીના કુંડાઓનું વિતરણ કર્યુ હતુ.આ તકે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરાગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કેયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુકલ તેમજ જય જોગમાયા સેવા ગ્રુપના પ્રમુખ સચિનભાઈ શુકલ અને નિમિષભાઈ અંતાણી હાજર રહ્યા હતા.