મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં માર્ચ એન્ડીંગના લીધે બીજા-ચોથા શનિવારે સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે


SHARE















મોરબીમાં માર્ચ એન્ડીંગના લીધે બીજા-ચોથા શનિવારે સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે

મોટાભાગે સરકારી કચેરીઓમાં બીજા અને ચોથા રવિવારે રજા રહેતી હોય છે પરંતુ તાજેતરમાં માર્ચ મહિનો ચાલી રહ્યો હોય માર્ચ એન્ડિંગ નિમિત્તે મોરબી ખાતે બીજા અને ચોથા રવિવારે પણ સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે અને દસ્તાવેજોની નોંધણી થઈ શકે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજનું ભારણ વધુ હોય છે માટે સરકાર દ્રારા માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવારે પણ સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેથી ગત તા.૧૧ ને શનિવારે દસ્તાવેજની નોંધણી માટે કચેરી ખુલ્લી હતી અને આગામી ચોથા શનિવારે એટલે કે ૨૫ મી માર્ચે પણ સબ રજીસ્ટાર કચેરી ખુલ્લી રહેશે માટે જેમણે દસ્તાવેજ કરાવવા હોય તેઓઅ તે મુજબ ટોકન લઇ દસ્તાવેજ નોંધણી કરાવી શકશે તેમ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ યાદીમાં જણાવેલ છે.

વાવડી રોડ પર શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન

મોરબીમાં વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા અને યશ વિનોદભાઈ કવૈયા પરીવાર દ્રારા આગામી તા.૨૭ થી ૨૯ દરમ્યાન વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી ખાતે શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવેલ છે.મોરબીના પુ.નિખીલભાઈ જોષી વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે.અહીંના વાવડી રોડ ઉમિયા ગેટમાં આવેલ સ્વાતીપાર્ક સોસાયટી ખાતે અગામી તા.૨૭ થી તા.૨૯ માર્ચ સુધી શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરાયેલુ છે જેમાં દરરોજ રાત્રે ૯ થી ૧૨ સુધી કથા શ્રવણ થશે.આ હનુમાન ચાલીસા કથાનો લાભ લેવા આયોજક વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા અને યશ વિનોદભાઈ કવૈયાએ મોરબીવાસીઓને જાહેર આમંંત્રણ પાઠવેલ છે.

ઉમા ટાઉનશી

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં ઉમા ટાઉનશીપની બહેનો, ઉમા વિદ્યાસંકુલ, યુનિક સ્કૂલ, ભારતી વિદ્યાલય અને સાર્થક વિદ્યામંદિરની બહેનોની કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા તપાસણી કરીને જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.કુલ ૧૪૨૦ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા ત્યાંની સ્કૂલ તથા ઉમા ટાઉનશીપની બહેનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News