મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશજી મહિલાઓને આપે છે “બારે મહિના રોજગારી” !:  વુડન ગણેશની દેશના અનેક રાજ્યોમાં માંગ


SHARE













મોરબીમાં ગણેશજી મહિલાઓને આપે છે “બારે મહિના રોજગારી” !:  વુડન ગણેશની દેશના અનેક રાજ્યોમાં માંગ

આજથી સમગ્ર દેશની અંદર ગણેશોત્સવ ઉજવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે છે અને જુદાજુદા વિસ્તારોમાં પંડાલોમાં ગણેશજીનું સ્થપાન કરીને પૂજન અર્ચન પણ કરવા માટે લોકો આયોજન કરી રહ્યા છે ત્યારે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં તૈયાર કરવામાં આવતી વુડન ગણેશજીની અવનવી આઈટમો કે જે મહિલાઓને બારે મહિના બનાવતી હોય છે તેને દેશના જુદાજુદા રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે એટલે કે, ગણેશજી મહિલાઓને બારે મહિના રોજગારી પૂરી પડે છે.

દુંદાળા દેવ કે જેની મૂર્તિ કે તસ્વીર તમને દરેક રૂપમાં જોવી ગમે છે તેનો ઉત્સવ એટલે કે ગણેશોત્સવ આગા,મી દિવસોમાં શરૂ થઇ રહ્યો છે જેથી લોકો ગણેશજીની અવનવી મૂર્તિઓના દર્શન કરવા માટે ગણેશોત્સવના પંડાલોમાં જશે જો કે, મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા નાના નાના કારખાનાઓમાં બારે મહિના વુડન એટલે કે લાકડા ઉપર ગણેશજીની અવનવી ગીફ્ટ આર્ટીકલમાં કોઈને પણ ભેટ આપી શકાય તેવી કૃતિઓ બનાવવામાં આવતી હોય છે જે તૈયાર કરવા માટે લાકડામાંથી ઓછામાં ઓછા પાંચ થી લઈને પંદર સુધીના કટકા કરવામાં આવે છે અને તે નાના નાના પીસ ઉપર પલીસિંગ અને કલર કામ કર્યા બાદ ફેવિકોલથી એક એક પીસને લાકડાની સીટ ઉપર લગાવવામાં આવે ત્યારે એક ગણેશજીનું પીસ તૈયાર થાય છે તેવું અમરનાથ વાળા અશોકભાઈ હરિલાલભાઈ વાળાએ જણાવ્યુ છે

આ અંગે માહિતી આપતા દર્શનભાઈ વાળાએ જણાવ્યુ છે કે, ખાસ કરીને લાકડામાંથી બનતા ગણેશજીના શો પીસમાં લાકડા અને કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે જો કે તેના પલીસિંગ અને ફીનીસીંગના કામમાં ખુબ જ કાળજી રાખવી પડે છે કેમ કે થોડું પણ એક પીસ બગડી જાય તો આખું એક નંગ બગાડે છે મોરબી પંથકમાં વુડન ઉપર ગણેશજીની જુદીજુદી ૨૦૦ થી વધુ મુખાકૃતિ બનાવવામાં આવે છે અને તે શો પીસ તરીકે ભારતના જુદાજુદા રાજ્યોમાં વેચાઈ છે શહેરના સલામ વિસ્તારોમાં રહેલી મહિલાઓને બારે મહિના રોજગારી આપતા ગણેશજીની ડીમાન્ડ સામાન્ય રીતે ગણેશ ચતુર્થી પહેલા નીકળતી હોય છે જેથી મોટાભાગના ઉત્પાદકો દ્વારા કર્નાટક, ઓરિસા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોના તેમના વેપારીઓ પાસેથી એડવાન્સમાં ઓર્ડર લઈને તેના માટેનું કામ શરુ કરી દેતા હોય છે

હિન્દુ દેવી દેવતા તો ઘણા છે પરંતુ તે તમામની એક ચોક્કસ મુખાકૃતિ છે માટે તે તેમાજ સારા લાગે છે જો કે, ગણેશજીની મુખાકૃતિ ગમે તે રીતે સેટ કરો એટલે લોકોને જોવી ગમે જ છે આજેની તારીખે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ વિસ્તારમાં આવલા કારખાનાઓમાં બનાવવામાં આવેતા વુડન ગણેશજીની ગણેશ ચતુર્થી પહેલા તો ડીમાન્ડ હોય જ છે જો કે, બારે મહિના જુદાજુદા રાજ્યોમાં ગણેશજીની મુખાકૃતિ વાળા ગણેશજીના શો પીસની ડીમાન્ડ રહેતી હોવાથી નાની પરંતુ ચોકસાઈ વાળી કામગીરી કરવાથી મોરબીના જુદાજુદા વિસ્તારોમાં રહેતી મહિલાઓને બારે મહિના ગણેશજી રોજગારી આપી રહ્યા છે તે હક્કિત છે 






Latest News