મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં “માધાપરના મહારાજા” ગણેશોત્સવ સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું


SHARE













મોરબીમાં “માધાપરના મહારાજા” ગણેશોત્સવ સાથે એસી ઑક્સીજન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

મોરબીના માધાપર વિસ્તારમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષમાં સ્થાપના કરવામાં આવ્યું છે ત્યારે સમાજના દાતા તરફથી સતવારા સમાજના લોકોને તાત્કાલિક આરોગ્ય લક્ષી સારવાર મળે તે માટે એક એસી ઑક્સીજન એમ્બ્યુલન્સ ગણેશચતુર્થીના દિવસે લોકાર્પણ કરવામાં આવી છે તેની સાથોસાથ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું

મોરબીના માધાપર વિસ્તારમાં ગણેશ ચતુર્થી નિમીતે માધાપર સોશ્યલ ગ્રુપ દ્વારા દરવર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ માધાપરના મહારાજા (શ્રી ગણેશ મહોત્સવ) નું નવમા વર્ષે સ્થાપન કરવામાં આવ્યું છે અને આ વર્ષે મૂર્તિના દાતા ડાયાલાલ ધરમશીભાઇ સોનગ્રા છે તેની સાથે સમસ્ત મોરબી સતવારા સમાજના દર્દીઓની સેવા અર્થે એસી ઓકિસજન એબ્યુલન્સ દાતા સ્વ. દિલીપભાઇ ડુંગરશીભાઇ પરમારના પરિવાર દ્વારા આપવામાં આવી છે તેનું સમાજના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એસી ઓકિસજન એબ્યુલન્સ અને શ્રધ્ધાંજલી સેવાના કાયમી અન્નદાનના દાતાઓ તેમજ શ્રધ્ધાંજલી સેવાની સેવા આપનાર કર્મયોગી ભાઇઓ તથા બહેનોના સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ, માધાપર સોશ્યલ ગ્રુપ, અને મોરબી સતવારા સોશ્યલ ગ્રુપના હોદેદારો તેમજ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, એલ.એમ.કંઝારીયા, કાનજીભાઇ નકુમ, વિજયભાઈ નકુમ સહિતના લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે




Latest News