મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ


SHARE















 

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હોય તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી મૃતક મહિલાને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયા ના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી હાલમાં મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવી છે તેવું આ બનાવની આગળની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈ.ટી. જામ પાસેથી જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ૯ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે બાળકો છે અને તે સાસુ સસરાથી અલગ રહે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાનું મોત
મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ આશુતોષ નામના કારખાનામાં ઓરડીમાં રહેતી મૂળ એમપીની રહેવાસી મિસરીબેન બાબુભાઈ ભુરીયા જાતે આદિવાસી (૪૫) નામની મહિલા રાત્રિના સમયે કારખાનાના વાહન પાર્કિંગના શેડ પાસે હતી ત્યારે અચાનક કંઈ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવવું મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગરમાં રહેતા વેપારી જ્યોતિસિંહ રાણુભા જાડેજા જાતે દરબાર (૬૬) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે






Latest News