માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
SHARE
માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનને પ્રવાસનમાં લેવામાં આવેલ છે અને તેના વિકાસ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં આવતા લોકોની ચિંતા કરીને મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન ખાતે સુવિધાઓ વધારવા માટેના જુદાજુદા કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ હતું કે તા. ૩૧/૧૨/૨૨ ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે ૮૦૧.૧૧ લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ અને ટોઇલેટ બ્લોક તમામ સુવિધાઓ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરાયેલ છે









