મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનને પ્રવાસનમાં લેવામાં આવેલ છે અને તેના વિકાસ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં આવતા લોકોની ચિંતા કરીને મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન ખાતે સુવિધાઓ વધારવા માટેના જુદાજુદા કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ હતું કે તા. ૩૧/૧૨/૨૨ ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે ૮૦૧.૧૧ લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ અને ટોઇલેટ બ્લોક તમામ સુવિધાઓ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરાયેલ છે






Latest News