મોરબી જિલ્લામાં સર્વિસ પેન્શનરોએ ૧૦ એપ્રિલ સુધીમાં તિજોરી કચેરીમાં જરૂરી માહિતી રજૂ કરવી
મોરબીમાં ૧૮મી માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
SHARE
મોરબીમાં ૧૮મી માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલુકાકક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા.૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે આ મેળો યોજાશે
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, આધાર કાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.









