મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE















મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે

રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યારે મોરબી ખાતે આગામી તા ૨૩ ના રોજ મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં આ સેમિનાર સાંજે ૪ થી ૬ વાગ્યના સમયમાં શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ હોલ ખાતે રાખવામા આવેલ છે આ નિશુલ્ક સેમીનાર છે જેથી કરીને મહિલાઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલ મેનોપોઝ સંબંધિત માર્ગદર્શન આપશે તેમજ સેમીનારમાં મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગે માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નં ૬૩૫૧૪ ૩૧૫૫૪ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે






Latest News