મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે
SHARE
મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે
રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યારે મોરબી ખાતે આગામી તા ૨૩ ના રોજ મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં આ સેમિનાર સાંજે ૪ થી ૬ વાગ્યના સમયમાં શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ હોલ ખાતે રાખવામા આવેલ છે આ નિશુલ્ક સેમીનાર છે જેથી કરીને મહિલાઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલ મેનોપોઝ સંબંધિત માર્ગદર્શન આપશે તેમજ સેમીનારમાં મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગે માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નં ૬૩૫૧૪ ૩૧૫૫૪ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે