મોરબીમાં સ્પાના સંચાલકને ગ્રાહક પાસેથી વ્યાજે લીધેલ ૫૦ હજાર સામે ૭.૫૦ લાખની પઠાણી ઉઘરાણી
SHARE
મોરબીમાં સ્પાના સંચાલકને ગ્રાહક પાસેથી વ્યાજે લીધેલ ૫૦ હજાર સામે ૭.૫૦ લાખની પઠાણી ઉઘરાણી
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અગાઉ સ્પા ચલાવતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી ૩૦ ટકા વ્યાજે ૫૦૦૦૦ લીધા હતા જેની સામે વ્યાજખોરોને તે યુવાને બે લાખ રૂપિયા આપી દીધા છે તો પણ મૂળ, વ્યાજ અને પેનલ્ટી મળીને તેની પાસેથી સાડા સાત લાખ રૂપિયા વસૂલ કરવા માટે અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી યુવાને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-૪૦૦ માં રહેતા કયવન્ના શાંતિલાલ શાહ જાતે વાણીયા (૪૫) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ગોહિલ રહે. રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેનું અગાઉ વેલકમ સ્પા હતું જેના આરોપી નરેશભાઈ ગોહિલ મસાજ કરાવવા માટે નિયમિત આવતો હતો જેથી કરીને તેની સાથે મિત્રતા થઈ હતી અને ત્યારે ફરિયાદી યુવાનને રૂપિયાની જરૂર હોવાથી તેને આરોપીને ૫૦૦૦૦ રૂપિયા માટે વાત કરી હતી જેથી આરોપીએ તેને રોજનું ૫૦૦ રૂપિયા લેખે વ્યાજ લેવની શરતે ૫૦૦૦૦ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી ચાર કોરા ચેક બળજબરીથી મેળવી લીધા હતા અને ફરિયાદીએ આરોપી પાસેથી સાડા સાત લાખ રૂપિયા ઉછીના લીધેલા છે તેવું શનાળા રોડ ઉપર આવેલ નોટરીની ઓફિસે લખાણ કરાવ્યું હતું જો કે, ૫૦૦૦૦ની સામે અત્યાર સુધીમાં બે લાખ જેટલી રકમ આપી દીધી છે તો પણ વધુ પૈસા પડાવવા માટે થઈને ફરિયાદીને આરોપી દ્વારા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા નરેશભાઈ ગોહિલ સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ની કલમ-૪૦, ૪૨, મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે