મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું


SHARE













હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું

ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ ૬ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે અને વૃક્ષોની માત્ર વાવણી જ નહીં પરંતુ જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેવું અધિકારી જણાવ્યુ છે

ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ સંદર્ભે વિધાનસભામાં લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ બે વર્ષમાં કુલ ૬૦૩.૯૬ લાખના ખર્ચે ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૭૦ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પેટે કુલ રૂ. ૩૨૩.૦૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩૨૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના માટે કુલ રૂ.૨૮૦.૮૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.  ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર વનના સંરક્ષણ માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણ ઉપર વિશેષ મહત્વ આપી રહી છે. એટલું જ નહીં, માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. 






Latest News