મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું


SHARE















હળવદ તાલુકામાં બે વર્ષમાં ૬૯૧.૬૭ હેક્ટરમાં ૬ કરોડથી વધુના ખર્ચે રોપાનું વાવેતર કરાયું

ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાના વાવેતર માટે કુલ ૬ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે અને વૃક્ષોની માત્ર વાવણી જ નહીં પરંતુ જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેવું અધિકારી જણાવ્યુ છે

ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ સંદર્ભે વિધાનસભામાં લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ હળવદ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ બે વર્ષમાં કુલ ૬૦૩.૯૬ લાખના ખર્ચે ૬૯૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૭૦ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પેટે કુલ રૂ. ૩૨૩.૦૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૩૨૧.૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના માટે કુલ રૂ.૨૮૦.૮૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.  ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર વનના સંરક્ષણ માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણ ઉપર વિશેષ મહત્વ આપી રહી છે. એટલું જ નહીં, માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. 






Latest News