મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ


SHARE













મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ

મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી તેમજ દુકાનો બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીના કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં કોઈપણ મંજૂરી વગર ઘણી જગ્યાએ બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ચાલુ છે આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે માટે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારીઓ તેમજ દુકાનોને બંધ કરાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે 








Latest News