મોરબીમાં ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાંથી દારૂની ૨૪૦ બોટલ કબજે: આરોપીની શોધખોળ
મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ
SHARE
મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ
મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી તેમજ દુકાનો બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીના કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં કોઈપણ મંજૂરી વગર ઘણી જગ્યાએ બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ચાલુ છે આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે માટે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારીઓ તેમજ દુકાનોને બંધ કરાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે