મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ


SHARE













મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ યુવા વાહિનીની માંગ

મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારી તેમજ દુકાનો બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા મોરબીના કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં કોઈપણ મંજૂરી વગર ઘણી જગ્યાએ બેરોકટોક કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર નોનવેજની લારીઓ અને દુકાનો ચાલુ છે આ મામલે હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનો આદેશ દેવામાં આવ્યો છે છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે માટે તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતા કતલખાના અને નોનવેજની લારીઓ તેમજ દુકાનોને બંધ કરાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે 






Latest News