મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે


SHARE





મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે આ શિબિર યોજાવાની છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે "હર ઘર ધ્યાનઘર ઘર યોગ" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્યસુખાકારીયોગ પ્રત્યે જાગૃતિતેમજ યોગના પ્રચાર પ્રસાર અંગેનો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધેલોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ત્યારે મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે તા ૨૬ ને રવિવારે સવારે ૬ થી ૮ નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિર યોજાવાની જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને તે રજીસ્ટ્રેશન https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 લીંક ટચ કરીને કરી શકશે તેવું મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨ ૮૨૫૨૭) અને મોરબી ડિસટ્રિક આર્ટ ઓફ લિવિંગ ટીચર-કોર્ડીનેટર હાર્દિકભાઈ ભાલોડીયા (૯૮૨૫૨ ૧૫૫૫૧) એ જણાવ્યુ છે




Latest News