ટંકારાના વીરપર ગામે સરકારી શાળામાં ૧૫ કોમ્પ્યુટર સાથે આધુનિક લેબ શરૂ
મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે
SHARE
મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે આ શિબિર યોજાવાની છે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે "હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ, તેમજ યોગના પ્રચાર પ્રસાર અંગેનો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ત્યારે મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે તા ૨૬ ને રવિવારે સવારે ૬ થી ૮ નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિર યોજાવાની જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને તે રજીસ્ટ્રેશન https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 લીંક ટચ કરીને કરી શકશે તેવું મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨ ૮૨૫૨૭) અને મોરબી ડિસટ્રિક આર્ટ ઓફ લિવિંગ ટીચર-કોર્ડીનેટર હાર્દિકભાઈ ભાલોડીયા (૯૮૨૫૨ ૧૫૫૫૧) એ જણાવ્યુ છે