મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત


SHARE













મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત 

રાજ્યમાં નવો જંત્રી દર લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરવા માટે આસામીઓ પડાપડી કરી રહ્યા છે જો કે, સ્લોટ ન હોવાથી તેઓને ટોકન મળી રહ્યા નથી જેથી કરીને આસામી હેરાન થઈ રહ્યા હે ત્યારે મોરબીની વાત કરી તો મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીમાં હાલમાં આગામી તા ૧૫/૪ સુધીનું બુકિંગ થઈ ગયું છે જેથી કરીને ૯૦૦ જેટલા પક્ષકારોને ટોકન મળી રહ્યા નથી એટ્લે કે તેઓને જૂની જંત્રીનો લાભ મળશે નથી જેથી કરીને વ્યવસ્થાકીય ખામીને દૂર કરીને લોકો માટે પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ હાલમાં મોરબી સબ રજિસ્ટ્રાર અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ૧૫ એપ્રિલ સુધીના તમામ ટોકન આસામીઓને આપી દેવામાં આવ્યા છે જો કે, આજની તારીખે ૯૦૦ જેટલા પક્ષકારોને દસ્તાવેજ માટે ટોકન લેવા છે પરંતુ તેને ટોકન મળી રહ્યા નથી જેથી તે લોકો જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ બનાવી શકશે કે નહીં તે સવાલ છે જેથી કરીને સ્લોટનો સમય ઘટાડીને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અગાઉ માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટોકન માટે પોર્ટલ ઉપર જેવા સ્લોટો બહાર પડે કે તુરત જ ટોકન બુક થઈ જાય છે અને આજની તારીખે તા ૧૫/૪ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા છે. જેથી ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત ન રહે તેના માટે પૂરતા સ્લોટો ફાળવવા અને સ્ટાફ ઓછો હોય વધુ એસટીએફ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં પણ કામ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી છે








Latest News