ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત


SHARE













મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત 

રાજ્યમાં નવો જંત્રી દર લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરવા માટે આસામીઓ પડાપડી કરી રહ્યા છે જો કે, સ્લોટ ન હોવાથી તેઓને ટોકન મળી રહ્યા નથી જેથી કરીને આસામી હેરાન થઈ રહ્યા હે ત્યારે મોરબીની વાત કરી તો મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીમાં હાલમાં આગામી તા ૧૫/૪ સુધીનું બુકિંગ થઈ ગયું છે જેથી કરીને ૯૦૦ જેટલા પક્ષકારોને ટોકન મળી રહ્યા નથી એટ્લે કે તેઓને જૂની જંત્રીનો લાભ મળશે નથી જેથી કરીને વ્યવસ્થાકીય ખામીને દૂર કરીને લોકો માટે પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ હાલમાં મોરબી સબ રજિસ્ટ્રાર અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ૧૫ એપ્રિલ સુધીના તમામ ટોકન આસામીઓને આપી દેવામાં આવ્યા છે જો કે, આજની તારીખે ૯૦૦ જેટલા પક્ષકારોને દસ્તાવેજ માટે ટોકન લેવા છે પરંતુ તેને ટોકન મળી રહ્યા નથી જેથી તે લોકો જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ બનાવી શકશે કે નહીં તે સવાલ છે જેથી કરીને સ્લોટનો સમય ઘટાડીને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અગાઉ માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટોકન માટે પોર્ટલ ઉપર જેવા સ્લોટો બહાર પડે કે તુરત જ ટોકન બુક થઈ જાય છે અને આજની તારીખે તા ૧૫/૪ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા છે. જેથી ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત ન રહે તેના માટે પૂરતા સ્લોટો ફાળવવા અને સ્ટાફ ઓછો હોય વધુ એસટીએફ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં પણ કામ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી છે






Latest News