ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી


SHARE

















મોરબીના પિતાની છત્રછાયા ગુમાવનારા દીકરીને ભાડું લીધા વગર પ્રસંગમાં પહેરવા માટે આપવામાં આવશે ચણિયા ચોલી

મોરબીના સનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં માહી ચોલી સેન્ટર આવેલ છે જેના માલિક દ્વારા આગામી દિવસોમાં આવી રહેલ લગ્નસરાની સિઝનમાં અગાઉ કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન પ્રસંગ માટે કોઇ પણ પ્રકારનું ભાડું લીધા વગર ચણિયાચોળી આપવા માટેની જાહેરાત કરેલ છે

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તેમાં ઘણા સંતોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે લગ્નસરાની સિઝન શરૂ થવા જય રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં માહિ ચોલી સેન્ટર નામની દુકાન ધરાવતા કલ્પેશભાઈ વજીભાઇ છાત્રોલા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે “આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે જે દીકરીઓએ કોરોના કાળ દરમિયાન પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય અને તેના લગ્ન પ્રસંગ દરમિયાન ગરબા કે મંડપ મહુર્ત સમય ચણીયા ચોલી પહેરવી હોય તો તે ત્યાંથી લઈ જય શકે છે અને તેનું કોઈ પણ પ્રકારનું ભાડું માહિ ચોલી સેન્ટર દ્વારા લેવામાં આવશે નહીં અને આગામી અખાત્રીજ સુધીમાં જે દીકરીઓના લગ્ન હોય તે લગ્ન પ્રસંગ માટે ચણીયા ચોલી લઈ જઇ શકશે અને અત્યારથી જ ચણિયાચોળી બુકિંગ કરાવી શકાય છે અને તેમના માટે તેમણે પોતાનો મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૯૨૬૫૪ પણ આપેલ છે જેના દ્વારા સંપર્ક કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ચણિયાચોળી બુક કારવીને ત્યાથી પ્રસંગ માટે વિનામૂલ્યે લઈ જય શકે છે




Latest News