રાજ્યમાં દસ્તાવેજ નોંધણી- પાન અને આધાર કાર્ડ લિંકની મુદતમાં વધારો કરવાની રમેશભાઈ રબારીએ કરી માંગ
SHARE
રાજ્યમાં દસ્તાવેજ નોંધણી- પાન અને આધાર કાર્ડ લિંકની મુદતમાં વધારો કરવાની રમેશભાઈ રબારીએ કરી માંગ
આગામી દિવસોમાં જંત્રીના ભાવમાં બમણો વધારો લાગુ થવાનો છે ત્યારે દસ્તાવેજની નોંધણી કરવા માટે લોકોને ટોકન માલ્ટા નથી જેથી કરીને દસ્તાવેજ નોંધણી મુદતમાં વધારો કરવામાં આવે તેમજ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંકની ફી લેવાનું બંધ કરવામાં આવે તથા તેની મુદત વધારવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ ગુજરાત અને કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરેલ છે
ગુજરાત સરકાર તરફથી દસ્તાવેજની જંત્રી વઘારો કરેલ તેને તા ૧૫ એપ્રિલ સુધી વઘારો મોકૂફ રાખવામાં આવેલ હતો ત્યારે આ સમય દરમ્યાન દસ્તાવેજ નોંધણી કરવામાં અતિ ઘસારો થતા મોરબી સબ રજીસ્ટાર કચેરીમાં તા ૧૫/૪ સુધીના દસ્તાવેજ નોંધણીના તમામ ટોકન બુક થઈ ગયા છે ત્યારે સરકાર ડબલ જંત્રીનો વઘારો રોકવો જોય અને સમય મર્યાદા વઘારવી જોઇએ તેવી મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ લોકો વતી લેખિત લાગણી અને માંગણી વ્યક્ત કરેલ છે તેમજ કેન્દ્ર સરકાર તરફથી આઘડકાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની મુદતમાં વઘારો કરવો જોઈએ કારણ કે આઘારકાર્ડ અને પાન કાર્ડમાં સ્પેલિંગમાં ભૂલ હોય તે સુધારવા માટે ઓછામાં ઓછો ૩૦ દિવસનો સમય લાગે છે ત્યારે સરકારે મુદતનો વઘારો કરવો જોઈ અને આ બંનેને લિંક કરવા ૧૦૦૦ હજાર રૂપિયા જેવી ફી લેવા માં આવે છે તેને રદ કરવી જોઈએ તેવી રમેશભાઈ રબારીએ માંગ કરી છે.









