મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ટીકર(રણ) ગામે આર્થિક કારણોસર દવા પી ગયેલ આધેડનું મોત


SHARE













મોરબીના ટીકર(રણ) ગામે આર્થિક કારણોસર દવા પી ગયેલ આધેડનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર (રણ) ખાતે રહેતા સતવારા આધેડે ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નિપજતા મૃતદેહ પીએમ માટે મોરબી ખસેડાયો હતો અને બાદમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી એ ડિવ્ઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના ટીકર (રણ) વિસ્તારમાં રહેતા અમૃતલાલ ગોરધનભાઈ ચૌહાણ (ઉમર ૫૫) નામના સતવારા આધેડ ઝેરી દવા પી જતા તેઓનું મોત નીપજ્યું હતું જેથી તેમના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આર્થિક કારણોસર અમૃતભાઈ ચૌહાણએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને આગળની તપાસ માટે તેઓએ હળવદ પોલીસને ઉપરોક્ત બનાવની જાણ કરી હતી.

બે વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીમાં ગઈકાલે બનેલ બે જુદાજુદા અકસ્માત બનાવોમાં ત્રણ લોકોને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા ધવલ જગદીશભાઇ કચરોલા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની પાસે બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના લીલાપર-ભડીયાદ રોડ ઉપર સનરાઈઝ સીરામીકમાં રહેતા નીતિન બાલકૃષ્ણ (ઉમર ૨૪) અને માળીયા મિંયાણાના મેઘપર ગામે રહેતા અરવિંદ મનુભાઈ રાઠોડ (ઉંમર ૨૫) નામના બે યુવાનો બાઇકમાં જતા હતા ત્યારે બંનેને બાઇકમાંથી પડી જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેમને અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા જ્યાંથી તાલુકા પોલીસને જાણ કરાતા મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ કબીર આશ્રમ પાસેની સુમતિનાથ સોસાયટીમાં રહેતા દિપક જગદીશભાઈ ચૌહાણ નામના ૪૧ વર્ષના યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે આયુષ હોસ્પિટલ લવાયો હતો પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે દિપક ચૌહાણ બાઈક લઈને જતો હતો ત્યારે જુના આરટીઓ પાસે કંડલા હાઇવે ઉપર તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેને ઇજાઓ પહોંચેલી હતી જેથી સારવારમાં ખસેડાયો હતો






Latest News