મોરબીના ૨૦ જેટલા કેન્દ્રો ઉપર પીવડાવવામાં આવશે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન
મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે
SHARE
મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે
રેલ્વે દ્વારા ૧૨ એપ્રિલ કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા જમવા અને વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સ્વ ખર્ચ કેટલો? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ બે વ્યક્તિની નોન એસી, સ્લીપર ક્લાસની રેલ્વે કન્સેશન પાસનો ઉપયોગ કરીને ટિકિટ લો, તો ૭૦૦ અને બન્નેનાં ટ્રેનમા જમણવારના બીજા ૪૦૦ ઉમેરો તો માત્ર ૧૧૦૦ નો ખર્ચ બે વ્યકિત વચ્ચે થશે.
કટરા પહોચ્યા પછીનો ખર્ચ ત્યાંની સંસ્થાનો રહેશે અને રહેવા જમવા તેમજ વીઆઈપી દર્શનનો સમાવેશ થાય છે અને વીઆઈપી દર્શનમાં જ લોકો ચાલી શકે છે એમણે માત્ર ૬ કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવાનુ અને ત્યાંથી ઈ-કારથી મંદિર સુધી જવાનું અને જે લોકો ચાલી શકવાને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા, ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને મનોદિવ્યાંગ બાળકો તેમજ એસ્કોર્ટએ જવાની ઈચ્છા હોય તો એ વિજયભાઈ (૮૦૦૦૦ ૭૦૬૯૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે