મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત


SHARE











હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત

હળવદના સુરવદર ગામે પાણીનો ટાંકો જર્જરિત છે. અને આ પાણીના ટાંકાને રીપેરીંગ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરી છે તો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને નવો ટાંકો બનાવવાની માંગ કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મંત્રી કુંવરજી બાવળીયાને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સુરવદર ગામે આવેલ પાણીનો ટાંકો જર્જરીત છે અને તૂટી પડે તેમ છે. જેથી આ ટાંકો પડે અને કોઈ ઘટના બને તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે  અને ભવિષ્યમાં ગામમાં પાણીની અછત સજાર્ય તે પહેલા કામ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સુરવદર ગામના સરપંચને સાથે રાખીને તેઓએ પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો તાગ મેળવ્યો હતો તેના આધારે હાલમાં તેઓએ રજૂઆત કરેલ છે 






Latest News