માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત


SHARE













હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત

હળવદના સુરવદર ગામે પાણીનો ટાંકો જર્જરિત છે. અને આ પાણીના ટાંકાને રીપેરીંગ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરી છે તો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને નવો ટાંકો બનાવવાની માંગ કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મંત્રી કુંવરજી બાવળીયાને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સુરવદર ગામે આવેલ પાણીનો ટાંકો જર્જરીત છે અને તૂટી પડે તેમ છે. જેથી આ ટાંકો પડે અને કોઈ ઘટના બને તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે  અને ભવિષ્યમાં ગામમાં પાણીની અછત સજાર્ય તે પહેલા કામ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સુરવદર ગામના સરપંચને સાથે રાખીને તેઓએ પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો તાગ મેળવ્યો હતો તેના આધારે હાલમાં તેઓએ રજૂઆત કરેલ છે 






Latest News