મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે ટ્રક ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલા બાળકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બાળકને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં ટ્રક ચાલક સામે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા મીયાણા તાલુકાના સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામે નાગબાઈના મંદિર પાસે રહેતા રાજુભાઈ સવજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (૨૧)એ ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૬૯૮ ના ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસેથી તે પોતાના હવાલા વાળી છકડો રીક્ષા નં જીજે ૩ બીએક્સ ૬૦૨૯ લઈને જતો હતો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ  રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા (૧૩)  રિક્ષામાં પાછળના ભાગે બેઠો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા રૂખડને ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તે બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

મારમારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા ફરઝાનાબેન અલ્તાફભાઈ કોઠીયા (૨૫) નામની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.






Latest News