માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE













મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો

મોરબી તાલુકાના જેતપર ગામે મકાનની આગળના ભાગમાં આવેલ પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને રોકીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા જાતે દેવીપૂજક (૨૫)એ હાલમાં જુસબભાઈ નથુભાઈ કૈઇડા અને મહેબુબભાઇ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાન આગળ આવેલ પોતાની જમીનના પ્લોટમાં દિવાલ બનાવતો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જુસબભાઈ નથુભાઈ કૈઇડાએ લાકડીના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા પગમાં માર માર્યો હતો અને બંને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિક્રમભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા તન્જીમભાઈ ઇસ્માઈલભાઈ વકાલીયા (૨૫) નવસારીના જલાલપુર પાસે આવેલ રેસમાં ચોકડી પાસેથી એક્ટિવા લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની સ્થાનિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News