મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી
તાજેતરમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા હોય મોરબીની મંગલમ હોસપીટલ દ્રારા ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગની તાલીમ માટે વર્કશોપ યોજાયો
SHARE
તાજેતરમાં ચાલતા ચાલતા હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા હોય મોરબીની મંગલમ હોસપીટલ દ્રારા ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગની તાલીમ માટે વર્કશોપ યોજાયો
અહીંના ડો.દિપક અઘારા તેમજ ડો.જ્યેશ અઘારાની મંગલમ હોસપીટલ દ્રારા અત્રેની ન્યુ એરા ગલોબલ સકુલ ખાતે શાળાના સ્ટાફને હાર્ટ એટેક દરમ્યાન હાર્ટ પંપીગ (સીપીઆર) ની તાલીમ માટે વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ.
છેલ્લા એકાદ બે વર્ષથી સતત હૃદયરોગના હુમલા અને અચાનક હૃદય બંધ પડી જવાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે આપણે જાણીએ છીએ અવારનવાર રમતગમતના ગ્રાઉન્ડમાં, લાઇબ્રેરી, સ્કૂલ કે જીમમાં કે પછી પ્રસંગમાં નાચતા ગાતા અચાનક હૃદય બંધ પડી જવાના ઘણા બધા બનાવો બની રહ્યા છે તો આવા કિસ્સાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં ૧૦ થી ૧૫ મિનિટનો ટાઈમ લાગતો હોય છે આ સમય બહુ કીમતી હોય છે એટલી વારમાં દર્દીનું મૃત્યુ થઈ જતું હોય છે જો આવી કન્ડિશનમાં હાજર રહેલા કોઈપણ વ્યક્તિ એને હૃદયના પંપીંગ (કાર્ડીયાક મસાજ) કરે એટલે કે મેડીકલ ભાષામાં સીપીઆર કહેવાય જો સીપીઆર આપી શકે તો દર્દીને સાજા થવાની શક્યતાઓ ઘણી બધી હોય છે એના ભાગરૂપે તા.૨૯ ના રોજ ડોક્ટર દિપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા (મંગલમ હોસ્પિટલ) દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ત્યાંના સંચાલક હાર્દિક પાડલીયાના સહયોગથી સ્કૂલના બધા જ સ્ટાફ અને શિક્ષકોને હૃદય હુમલો આવે અને હૃદય બંધ થઈ કોઈ દર્દી બેભાન થાય તો એ વખતે શું સારવાર આપવી..? હૃદય પંપિંગ કેમ કરવું..? અને હૃદય કેમ ચાલુ કરવું..? તેના વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું.આ વર્કશોપમાં ડોક્ટર દીપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા દ્વારા અમેરિકન હાર્ટ એસોસિએશનની ગાડલાઇન પ્રમાણે દરેક ટીચર અને સ્ટાફને સીપીઆર વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ જેથી કરીને કોઈપણ જાહેર સ્થળ અથવા તો સ્કૂલમાં કોઈ આવો બનાવો બને તો શિક્ષક જ એમને સારવાર આપી શકે અને દર્દીને બચાવી શકાય.