મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલની જામીન અંગે આજે સુનવણી
મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી.
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે તા. 23 ના રોજ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા. 29 ના રોજ કોર્ટમાં થનાર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી જો કે ત્યારે અરજીને મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. દરમિયાન જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મુકવામાં આવી છે જેની આજરોજ સુનવણી હાથ ધરવામાં આવશે.









