મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના સનવીસ સિરામિકમાં અરવિંદ પનારા સહિતનાઓ દ્રારા ગણેશજીની સ્થાપના કરી પુજા-આરતી


SHARE













મોરબીના સનવીસ સિરામિકમાં અરવિંદ પનારા સહિતનાઓ દ્રારા ગણેશજીની સ્થાપના કરી પુજા-આરતી

તાજેતરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ઠેરઠેર દુંદાળાદેવ વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજની સ્થાપના કરીને પુજન અર્ચન કરવામાં આવી રહ્યુ છે ત્યારે મોરબીમાં પણ સિરામીક ફેકટરીઓ, સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં ઠેરઠેર ગણેશજીનું સ્થાપન કરીને દુંદાળાદેવનું ભાવપુર્વક પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.શ્રધ્ધાળુઓ દ્રારા પોતાના ઘરે તેમજ "સિધ્ધી વિનાયક કા રાજા" સહિતના જાહેર પંડાલોમાં પણ ગણપતિજીની સ્થાપના કરી પુજનઅર્ચન વડે આરાધના કરવામા આવી રહી છે.ત્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ સેનવીસ સિરામિક પ્રાઈવેટ લીમીટેડ કારખાનેદાર અરવિંદભાઇ પનારા સહિતના ભાગીદારો તેમજ સ્ટાફ દ્રારા યુનિટ ખાતે ગણપતિજીનું ભકિતભાવપૂર્વક સ્થાપન કરવામાં આવેલ જયાં દરોજ સવારે અને સાંજે શ્રધ્ધાપુર્વક આરતી-પુજન કરવામાં આવી રહ્યું છે.ફેક્ટરી ખાતે ગણપતિ મહારાજની સ્થાપના કરાતા યુનિટનો સ્ટાફ પરિવાર તેમજ આસપાસની ફેક્ટરીના સ્ટાફ, શ્રમિકો વિગેરે ગણેશજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે.






Latest News