મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન


SHARE











કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણ પરિવારોમાં કોઇ સભ્યનું મૃત્યુ થયેલ હોય અને કોરોના સમયને લીધે સદગતની અંતિમવિધિ તેમના પરિવારજનો વિધિવત રીતે ન કરી શક્યા હોય આવા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૧૩ જેટલા યજમાનો જોડાયા હતા.આચાર્ય પદે વાઘપરવાળા શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ બિરાજમાન થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ તથા યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત સહીતના તમામ સભ્યોએ અથાક મહેનત કરી હતી.






Latest News