હળવદના ડોક્ટરને શેર બજારમાં રોકાણ કરવાની જુદીજુદી સ્કીમ આપીને 48.14 લાખની ઠગાઇ કરનાર ચાર શખ્સની ધરપકડ મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત ટંકારામાંથી ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે એક શખ્સની ધરપકડ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !
Breaking news
Morbi Today

કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન


SHARE















કોરોનામાં સદગતી પામેલ લોકોની આત્મશાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામધામ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણ પરિવારોમાં કોઇ સભ્યનું મૃત્યુ થયેલ હોય અને કોરોના સમયને લીધે સદગતની અંતિમવિધિ તેમના પરિવારજનો વિધિવત રીતે ન કરી શક્યા હોય આવા સદગતોની આત્માની શાંતિ અર્થે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કુલ ૧૩ જેટલા યજમાનો જોડાયા હતા.આચાર્ય પદે વાઘપરવાળા શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ બિરાજમાન થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ તથા યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત સહીતના તમામ સભ્યોએ અથાક મહેનત કરી હતી.






Latest News