મોરબીના ઊંચી માંડલ પાસે અજાણ્યા બાઈક ચાલકે રાહદારી યુવાનને ઉડાવ્યો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં
મોરબીના જલારામ મંદિરે રામનવમીની ઉજવણી-મહાપ્રસાદ યોજાયો
SHARE
મોરબીના જલારામ મંદિરે રામનવમીની ઉજવણી-મહાપ્રસાદ યોજાયો
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામનો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અને રામનવમીના દિવસે મહાયજ્ઞ, મહાઆરતી તથા મહાપ્રસાદનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ રામનવમીના દિવસે શિવ પેકેજીંગ પરિવાર, કમલેશભાઈ પટેલ (હરભોલે જાંબુ) પરિવાર, સવજી નાનજી પંડિત પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી. પોપટ પરિવાર તરફથી મહાપ્રસાદમાં યોગદાન આપવામાં આવ્યું હતું.