માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે


SHARE













મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે હનુમાન જયંતિના દિવસે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં ધૂન રાખેલ છે તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬ ના રોજ સવારે ૯ કલાકે ધજાનું પૂજન કરીને ચડાવવામાં આવશે ત્યાર બાદ બપોરના ધૂન અને સાંજે ચારથી છ સુંદરકાંડના પાઠનું આયોજન છે અને છ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંજે સાત વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી સહયોગ આપીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે ઝૂલતા પુલ  દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે ધૂન રાખેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News