હળવદના સુંદરી ભવાની નજીક અને મોરબીના જેતપર ગામે દારૂની રેડ: ૩૨,૩૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે
SHARE
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના કલ્યાણ અર્થે હનુમાન જયંતિએ ધૂન યોજાશે
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે હનુમાન જયંતિના દિવસે મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં ધૂન રાખેલ છે તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલ વિશ્વેશ્વર બાલાજીના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬ ના રોજ સવારે ૯ કલાકે ધજાનું પૂજન કરીને ચડાવવામાં આવશે ત્યાર બાદ બપોરના ધૂન અને સાંજે ચારથી છ સુંદરકાંડના પાઠનું આયોજન છે અને છ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંજે સાત વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી સહયોગ આપીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે ઝૂલતા પુલ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તે દિવંગત આત્માનાં કલ્યાણ અર્થે અને તેમની સદગતિ માટે ધૂન રાખેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરિયા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે