આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ


SHARE













મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ

મોરબીના સિપાઈવાસમાં વિસ્તારમાં શનિવારે રાત્રે માથાકૂટ થઈ હતી ત્યારે બે યુવાનને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને એક યુવાનને માથામાં ધોકો મારવામાં આવ્યો હતો અને જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવમાં બંને પક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભોંયવાડામા રહેતા અકબરભાઈ આલમભાઈ કુરેશીએ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીષની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાણેજ સલીમભાઈને આરોપી મકબુલભાઈ કુરેશીએ ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી ત્યાર બાદ તેના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈને સિપાહીવાસમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ ફરિયાદીના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ઉપર છરીથી હુમલો કર્યો હતો. અને મનસૂરને શરીરે આડેધડ છરીના જીવલેણ ઘા ઝીકયા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને મનસુરભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અબ્બાસભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવેલ છે જો કે તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે હત્યાની કોશીષની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જયારે સામાપક્ષેથી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ અબ્બાસભાઈ અકબરભાઈ કુરેશી અને મનસુરભાઈ અકબરભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીના ફૈઇબાના દીકરા સલીમભાઈ સાથે ગાળો બોલવા બાબતે માથાકૂટ થઈ હતી તેનો ખાર રાખીને આરોપીઓએ સિપાહીવાસના નાકે તે બેઠો હતો ત્યારે તેને ફોન કરીને ક્યાં છો ? તેવું પૂછીને ત્યાં આવ્યા હતા અને ત્યારે બન્ને શખ્સોએ મકબુલભાઈ કુરેશીને ગાળો આપી હતી અને ધોકા વડે માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈને ગયા હતા અને તેને પણ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે હાલમાં મારા મારીના આ ગુનામાં એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે






Latest News