મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ


SHARE







મોરબીના સિપાહીવાસમાં છરી-ધોકા વડે મારમારીના બનાવમાં સામસામી ફરિયાદ

મોરબીના સિપાઈવાસમાં વિસ્તારમાં શનિવારે રાત્રે માથાકૂટ થઈ હતી ત્યારે બે યુવાનને છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને એક યુવાનને માથામાં ધોકો મારવામાં આવ્યો હતો અને જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવમાં બંને પક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભોંયવાડામા રહેતા અકબરભાઈ આલમભાઈ કુરેશીએ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીષની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાણેજ સલીમભાઈને આરોપી મકબુલભાઈ કુરેશીએ ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી ત્યાર બાદ તેના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈને સિપાહીવાસમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલ આરોપી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ ફરિયાદીના બે દીકરા મનસુરભાઈ તથા અબ્બાસભાઈ ઉપર છરીથી હુમલો કર્યો હતો. અને મનસૂરને શરીરે આડેધડ છરીના જીવલેણ ઘા ઝીકયા હતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને મનસુરભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અબ્બાસભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવેલ છે જો કે તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે હત્યાની કોશીષની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જયારે સામાપક્ષેથી મકબુલભાઈ યુનુસભાઈ કુરેશીએ અબ્બાસભાઈ અકબરભાઈ કુરેશી અને મનસુરભાઈ અકબરભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીના ફૈઇબાના દીકરા સલીમભાઈ સાથે ગાળો બોલવા બાબતે માથાકૂટ થઈ હતી તેનો ખાર રાખીને આરોપીઓએ સિપાહીવાસના નાકે તે બેઠો હતો ત્યારે તેને ફોન કરીને ક્યાં છો ? તેવું પૂછીને ત્યાં આવ્યા હતા અને ત્યારે બન્ને શખ્સોએ મકબુલભાઈ કુરેશીને ગાળો આપી હતી અને ધોકા વડે માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈને ગયા હતા અને તેને પણ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે હાલમાં મારા મારીના આ ગુનામાં એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે






Latest News