મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


SHARE















મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે તા ૩ ના રોજ મોરબી જિલ્લાના ૧૯૮૭ વિદ્યાર્થીઓએ દ્વારા ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ કલાક દરમિયાન લેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાય છે

મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારી નિલેષભાઈ રાણીપા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વની એવી ગુજકેટની પરીક્ષા સોમવારે લેવામાં આવનાર છે ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા એનવી બિલ્ડીંગોમાં મોરબી જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે કલાસ ૧ અને કલાસ ૨ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને આ પરીક્ષા માટે ૧૮૦ કરતાં વધુ અધિકારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે






Latest News