મોરબીના ખોખરા હનુમાન, મણિધર હનુમાન અને ટંકારના પંચમુખી હનુમાન મંદિરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે
SHARE
મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને શોભાયાત્રા નીકળશે
મોરબીમાં સમસ્ત જૈન સંઘ દ્વારા દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજી, ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવશે
મોરબીમાં ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળશે ત્યારે ઘોડા, બગી, બેન્ડ-બાજા પણ ગુંજી ઉઠશે. જેમાં નાના બાળકો સાયકલ ઉપર રથયાત્રાની શોભા વધારશે તો કળશ ધારી બહેનો તથા પરમેષ્ઠિના વર્ણવાળા ડ્રેસમાં વિવિધ સંઘોના મહિલા મંડળો ડાંડીયા-ખંજરી,ચૌદ સ્વપ્ન આદી લઈને વરઘોડાની શોભા વધારશે આ શોભાયાત્રા ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલ સુધી જશે ત્યાં શોભાયાત્રા પૂરી કરવામાં આવશે આ શોભાયાત્રામાં ઠેર-ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવશે ત્યાર બાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભા યોજાશે. જેમાં ‘એક જનમ્યો રાજ દુલારો’ તથા ‘ભગવાન મહાવીરની વિરલ વાતો’ વિષય ઉપર પ્રવચન આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે